ઇસ્લામ પર એક દ્રષ્ટિપાત


ઇસ્લામ પર એક દ્રષ્ટિપાત
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

ઇસ્લામ અને મુસ્લિમોઃ
        અરબી ભાષામાં ‘ઇસ્લામ’ શબ્દનો અર્થ શાંતિ, શુદ્ધતા, આજ્ઞાંકિતપણું કે સમર્પણ એવો થાય છે. ઇસ્લામ એટલે ઈશ્વરે તેના પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્મ સાહેબ સાથે કુર્આનના રૂપમાં માનવજાત માટે મોકલાવેલ શિક્ષણ અને દોરવણીનો હૃદયપૂર્વક સ્વીકાર.
        મુસલમાન એવી વ્યક્તિ છે જે એક અલ્લાહ કે ઈશ્વરના અસ્તિત્વમાં માને છે અને જીભથી પણ તેનો એકરાર કરે છે. મુસ્લિમ એટલે પોતાના સમગ્ર જીવનને ઈશ્વરે મોકલેલા ઈશગ્રંથ અને પયગમ્બર સાહેબના વચનોના ઢાંચામાં ઢાળી દેનાર માણસ. આ જ પાયા ઉપર તે માનવ સમાજનું ઘડતર પણ કરવા પ્રયાસ કરે છે. ઇસ્લામ માટે “મોહંમદનિઝમ”  (Mohammadanism) જેવા શબ્દોનો ઉપયોગ ખોટો અને અયોગ્ય છે, કારણકે તે ઇસ્લામના હાર્દને અપમાનિત કરે છે.
        અરબી ભાષામાં ઈશ્વરનું અસલ નામ “અલ્લાહ” છે. અરબીમાં “અલ્લાહ” એક એવી અનુપમસંજ્ઞા છે જેનું બહુવચન કે સ્ત્રીલિંગનું રૂપ છે જ નહિ.
ઇશ્વરીય સંદેશાનું સાતત્યઃ
        ઇસ્લામ કોઈ નવો ધર્મ નથી. હકીકતમાં તો આ તે જ સંદેશ અને દોરવણી છે જે અલ્લાહે તેના બધા પયગમ્બરો સાથે મોકલાવ્યો હતો.
        “કહો કે અમે અલ્લાહમાં માનીએ છીએ, અને તેણે મોકલાવેલ સંદેશમાં માનીએ છીએ, જે સંદેશ ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઈલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) અને યાકૂબ (અ.સ.) અને તેમના વંશજો માટે મોકલવામાં આવ્યો હતો, અને મૂસા (અ.સ.) અને ઈસા (અ.સ.) અને બીજા પયગમ્બરો સાથે પણ તેમના માલિક તરફથી મોકલાવાયો હતો. અમે પયગમ્બરો વચ્ચે કોઈ ભેદભાવ કરતા નથી, અને અમે એક અલ્લાહનું કહ્યુંકરનારા છીએ. (કુર્આન-૩ઃ૮૩) હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા જે સંદેશ મોકલવામાં આવ્યો હતો તે તેના સંપૂર્ણ રૂપમાં ઇસ્લામનો સંદેશ હતો.”
ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભોઃ
(૧) શ્રદ્ધાની જાહેરમાં કબૂલાતઃ
        અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજવા લાયક નથી, તેની સાક્ષી પૂરવી અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માનવજાત માટે કયામતના દિવસ સુધી તેના રસૂલ કે સંદેશાવાહક છે તેની પણ સાક્ષી પૂરવી. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબની રિસાલત (રસૂલપણું) અને તેમનું અનુકરણીય અને દ્રષ્ટાંરૂપ જીવન મુસલમાનો માટે પ્રેરણારૂપ છે.
(૨) નમાઝ કે પ્રાર્થના:
        ઇશ્વર પ્રત્યેની પોતાની ફરજના રૂપમાં મુસલમાનોએ દિવસમાં પાંચવાર નમાઝ અદા કરવાની હોય છે. નમાઝ અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધાને જીવંત રાખે છે અને તેને મજબૂત બનાવે છે. નમાઝ મુસલમાનને ઉચ્ચ પ્રકારના નૈતિક જીવનની પ્રેરણા પણ આપે છે. તેનીથી હૃદય શુદ્ધ બને છે અને ખોટું કરવાના કે અનિષ્ટનું આચરણ કરવાના પ્રલોભનથી માણસ દૂર રહે છે.
(૩) રમઝાન માસના રોઝા કે ઉપવાસઃ
        મુસ્લિમો રમઝાન માસમાં પરોઢથી સુર્યાસ્ત સુધી ખાવા, પીવા અને કામેચ્છાની તૃપ્તિથી દૂર રહે છે, એટલું જ નહિ પણ અનિષ્ટ ઈરાદાઓ અને ઈચ્છાઓથી પણ અળગા રહે છે. રમઝાન માસના રોઝા મુસ્લિમોને પ્રેમ, નિખાલસતા અને ભક્તિનાં પાઠ શીખવે છે. તેનાથી તેમનામાં સામાજિક ભાવના, ધૈર્ય, નિઃસ્વાર્થપણું અને ઇચ્છાશક્તિનો વિકાસ થાય છે.
(૪) ઝકાતઃ
        પોતાની વાર્ષિક કમાણીમાંથી થયેલ બચતનો ૨.પ% ભાગ ધાર્મિક અને સામાજિક ફરજરૂપે સમાજના ગરીબોને ફરજિયાત પણે આપવો.
(૫) મક્કાની હજ્જઃ
        આર્થિક અને સ્વાસ્થ્યનીર્દષ્ટિએ શક્ય હોય તો આ ફરજ દરેક મુસ્લિમેજીવનમાં એકવાર બજાવવાની હોય છે.
        આ પાંચ પાયારૂપ ફરજો ઉપરાંત દરેક દરેક કાર્ય જો તે એવી ભાવનાથી કરવામાં આવે કે તે વડે આપણે ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરી રહ્યાં છીએ તો તે કાર્યપણ મુસલમાનને માટે પ્રાર્થના કે ઇબાદત ગણવામાં આવે છે.
        ઇસ્લામ અલ્લાહના એક હોવા ઉપર અને તેના સર્વસત્તાધીશ હોવા ઉપર ભાર મૂકે છે. તેને કારણે માણસને બ્રહ્માંડની અર્થપૂર્ણતાનું અને તેમાં તેના પોતાના સ્થાનનું ભાન થાય છે. આ માન્યતા તેને બધા પ્રકારના ભય અને વહેમોથી મુક્ત કરે છે. સર્વશક્તિમાન અલ્લાહના સર્વવ્યાપીપણાનું ભાન થતા માણસ પોતાની અલ્લાહ પ્રત્યેની જવાબદારી સ્વીકારે છે. પણે તેની શ્રદ્ધાની અભિવ્યક્તિ થવી જોઈએ અને વ્યવહારમાંતેની કસોટી પણ થવી જોઈએ. માત્ર શ્રદ્ધા પૂરતી નથી. એક ઈશ્વરમાં માન્યતાને કારણે આપણે આખી માણસજાતને એક કુટુંબ તરીકે સ્વીકારી અને સમજી શકીએ છીએ. તેથી તેને આપણે સર્વશક્તિમાન ઈશ્વરના સર્જનરૂપે સ્વીકારીશકીએ છીએ – એવો ઈશ્વર કે જે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર અને પોષણ કરનાર છે. ઇસ્લામ ધર્મમાં “પસંદ કરેલી પ્રજા” (Chosen People) ના વિચારનો વિરોધ છે, કારણ કે તેમાં એક ઈશ્વરમાં શ્રદ્ધા અને ભલાઈનાં સારાં કાર્યોના પરિણામરૂપે થતી સ્વર્ગ-પ્રાપ્તિનો વિચાર જ સર્વોપરી છે. આમ માણસ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. તે એક એવો સીધો સંબંધ છે જેમાં વચ્ચે કોઈ વચેટિયો હોતો નથી.
માણસની સ્વતંત્રતાઃ
        માણસ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તેનામાં ઈશ્વરે ઊંચામાં ઊંચા પ્રકારની શક્તિઓ ભરી દીધી હોવાથી તેની ઇચ્છા-શક્તિ, કાર્ય અને પસંદગીની બાબતમાં તે મુક્ત છે. ઈશ્વરે તેને સારો અને સાચો રસ્તો બતાવી દીધો છે, અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જીવનના રૂપમાં તેની દ્રષ્ટિ સમક્ષ એક સંપૂર્ણ આદર્શરૂપ વ્યક્તિના દ્રષ્ટાંતને પણ મૂકી દેવામાં આવ્યું છે. માણસના જીવનની સફળતા અને મુક્તિ પણ તેમાં જ રહેલી છે. ઇસ્લામ માણસના વ્યક્તિત્વની પવિત્રતા અને બધા માણસોના સમાન હક ઉપર ખાસ ભાર મૂકે છે. તેમાં કોઈ પણ વંશ, જાતિ, લિંગ (Gender) કે રંગનું કોઈ મહત્ત્વ નથી.
        કુર્આનમાં જે ઈશ્વરીય નિયમનું વર્ણન થયું છે અને જેનો માનવીય નમૂનો પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાંથી તાદ્રશ્ય મળે છે તે બધી બાબતોમાં સર્વોપરી છે. તે ઊંચામાં ઊંચા તેમજ નીચામાં નીચા સ્તરે પણ સૌને સમાન રીતે લાગુ પડે છે – પછી તે રાજકુમાર હોય કે ખેડૂત હોય, રાજા હોય કે રૈયત હોય.
કુર્આન અને હદીષઃ
        કુર્આન ઈશ્વરનો અંતિમસંદેશ છે. તે ઇસ્લામી શિક્ષણ અને કાયદાનો પાયાનો સ્ત્રોત છે. કુર્આનનો વિષય છે માન્યતાઓનો પાયો, નીતિશાસ્ત્ર, માનવજાતનો ઇતિહાસ, ઇબાદત (પ્રાર્થના) જ્ઞાન, ડહાપણ, ઈશ્વર અને માણસનો સંબંધ, ને માનવીના દરેક પ્રકારના માનવીય સંબંધો. તેમાં એવું સાર્વત્રિક શિક્ષણ આપવામાં આવ્યું છે કે તેની મદદથી સામાજિક ન્યાય, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, કાયદાનું ઘડતર (Legislation) તેની ફિલસૂફી (Jurisprudence) અને તેનું શાસ્ત્ર, અને આંતરરાષ્ટ્રીય સંબંધોરૂપી મજબૂત ઇમારતો ચણી શકાય એમ છે.
હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્મ સાહેબ પોતે એક નિરક્ષર વ્યક્તિ હતા. તેઓ લખી વાંચી શકતા ન હતા. છતાં, તેમની દેખરેખ હેઠળ, તેમના જીવન દરમ્યાનતેમના અનુયાયીઓએ કુર્આન કંઠસ્થ કરી લીધું હતું, અને લખી પણ લીધું હતું. એટલે કુર્આનનું સમગ્ર લખાણ (Complete Text) અને તેની પૂરેપૂરી માહિતી આજે પણ અરબી ભાષામાં જેમની તેમ મળી શકે છે. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદો ઉપલબ્ધ છે. મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના શિક્ષણના ઉદ્ગારો, ઉક્તિઓ, અને કહેવતો જેમને હદીસ કહેવામાં આવે છે તે તેમનો અનુયાયીઓએ જતનપૂર્વક સાયવ્યાં છે, હદીસની મદદથી કુર્આનની આયતો અને તેમનાં શિક્ષણને વિસ્તારપૂર્વકસમજાવી શકાય છે.
ઇબાદતનો ઇસ્લામી વિચાર
        ઇસ્લામ ધર્મ ક્રિયાકાંડ શીખવાડતો નથી કે માત્ર ક્રિયાકાંડનો સ્વીકાર પણ કરતો નથી. તે નિશ્ચય અને કાર્ય ઉપર ભાર મૂકે છે. ઇશ્વરની ઇબાદત કરવી એટલે જીવનની દરેક બાબતમાં ઈશ્વરને ઓળખવો, તને પ્રેમ કરવો, અને તેના કાયદાનો અમલ કરવો. જીવનની દરેક બાબતમાં ભલાઈનો આગ્રહ રાખવો અને ભૂંડા અને જુલ્મી કાર્યોનો ત્યાગ કરવો, ખેરાત કરવી કે દાન આપવું, ન્યાય કરવો અને માનવજાતની સેવા દ્વારા ઈશ્વરની સેવા કરવી.નીચેના ઉત્કૃષ્ટ શબ્દોમાં કુર્આન આ વિચારની રજૂઆત કરે છેઃ-
        “તમે તમારાં મુખોને પૂર્વ તરફ કે પશ્ચિમ તરફ ફેરવો તેનું નામ ભલાઈ કે સદ્કાર્ય (righteousness) નથી. તે માણસ ભલો છે જે ઈશ્વરમાં અને કયામતના અંતિમન્યાયના દિવસમાં અને દેવદૂતોમાં અને ધર્મગ્રંથોમાં અને પયગમ્બરોમાં માને છે, અને પોતાની મિલકત ઈશ્વરના પ્રેમને ખાતર ખર્ચ કરે છે અને પોતાનાં સગાં-વહાલાં અને અનાથ બાળકો તેમજ બીજા જરૂરતમંદોને અને વટેમાર્ગુઓને અને જેઓ તેની પાસે આવી માગે છે તેમને માટે ખર્ચે છે, અને ગુલામોને મુક્ત કરે છે અને કાળજીપૂર્વક નમાઝ અદા કરે છે, અને ઝકાત આપે છે અને જેઓ કરેલી સંધિ મુજબ વર્તે છે. અને દુઃખમાં અને મુશ્કેલીમાં અને કસોટીના કાળમાં સંયમથી વર્તે છે.. આ એવા માણસો છે જેઓ નિખાલસ હોય છે, અને ઈશ્વરથી ડરીને ચાલનારા હોય છે.” (કુર્આન રઃ૧૭૭)
ઇસ્લામી જીવનપદ્ધતિઃ
        ઇસ્લામ બધા માનવો માટે, અને જીવનના બધા ક્ષેત્રો માટે, એક ચોક્કસ પ્રકારની દોરવણી કે શિક્ષણ આપે છે. તેની દોરવણી રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક પ્રકારની હોય છે. કુર્આન માનવીને તેના ધરતી ઉપરના જીવનના હેતુ અંગે યાદ આપે છે. તેને તે પોતાની ફરજો અને જવાબદારીઓની પણ યાદ આપે છે, એટલું જ નહી પણ તેનાં સગાવહાલાં, તેનો સમાજ અને માનવબંધુઓ અને ઈશ્વર સાથેના તેના સંબંધને પણ તાજો કરી આપે છે. હેતુપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય અને પાયાની સૂચનાઓ આપીને તેને મનુષ્ય જીવનની કસોટીઓ સામે મૂકી દે છે – જેથી તે પોતાના ઊંચા આદર્શોને આચરણમાં મૂકી શકે. ઇસ્લામ ધર્મ પ્રમાણે માનવી જીવે તો તેનું જીવન છિન્ન ભિન્ન થયેલા સ્પર્ધા કરતા અંશોનો સરવાળો નહિ પણ તે એક તંદુરસ્ત અને પ્રામાણિક જીવન બને. ધાર્મિક (Religion) અને બિન-ધાર્મિક (Secular) એવા માનવજીવનના બે જુદા વિભાગો ઇસ્લામમાં નથી. મનુષ્યના રૂપમાં તેઓ એકરૂપ થયેલાં છે.
ઐતિહાસિક  પૃષ્ટભૂમિઃ
        હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ અરબસ્તાનના મક્કા નામના શહેરમાં ઈ.સ.૫૭૦ની સાલમાં જન્મ્યા હતા. તેઓ એક ઉમદા કુટુંબના નબીરા હતા. ચાલીસ વર્ષની ઉંમરે તેમને પ્રથમવાર ઈશ્વરનો સંદેશો ‘વહી’ (Revelation) દ્વારા મળ્યો. તેમણે ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો કે તરત તેમની તેમજ તેમના અનુયાયીઓની કનગડત શરૂ થઈ ગઈ અને તેમને પુષ્કળ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આથી ઈશ્વરે તેમને મક્કા શહેર છોડી અરબસ્તાનના બીજા એક મદીના નામના શહેરમાં હિજરત કરી જવા કહ્યું. ૨૩ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે પોતાનું પયગમ્બર તરીકેનું જીવનકાર્ય પૂરૂ કર્યું. અને ૬૩ વરસની વયે તેઓ મૃત્યુ પામ્યા. તેઓ એક સંપૂર્ણ જીવન જીવ્યા, અને જગતના બધા માણસો માટે તેઓ એક દ્રષ્ટાંતરૂપ જીવનનો નમૂનો પાછળ મૂકતા ગયા. તેમનું જીવન કુર્આના શિક્ષનું જવલંત ઉદાહરણ પૂરૂં પાડે છે.
ઇસ્લામની બૌદ્ધિક અસરઃ
        ઇસ્લામ ધર્મ, સત્યની સ્પષ્ટ અને સચોટ અભિવ્યક્તિને કારણે, જ્ઞાનના કોઈપણ ઉપાસકના હૃદય ઉપર જોરદાર અસર કરે છે. જીવનની બધી સમસ્યાઓનો તેમાં ઉકેલ છે. તે એક એવો ભોમિયો છે જે માણસને વધારે સારૂં અને સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરવા દોરવણી આપે છે અને સર્વશક્તિમાન ઈશ્વરની સૃષ્ટના સર્જનહાર તેમજ પાલનહાર તરીકે સ્તુતિ કરે છે.
દુનિયાની મુસ્લિમવસ્તી ઉપર એક ર્દષ્ટિપાતઃ
દેશનું નામ અને વસ્તી (મિલિયનમાં)
અફ્રિકા                                              ૨૨૪.૨૦ 
ઉત્તર-દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા          ૪.૦૦
એશિયા                                             ૫૭૫.૩૦ 
યુરોપ                                               ૨૦.૦૦
કુલ વસ્તીઃ                                           ૮૨૩.૫૦

શું કહે છે તેઓ કુર્આન વિષે?     


શું કહે છે તેઓ કુર્આન વિષે?
        મનુષ્યજાતિએ દૈવી શિક્ષણ માત્ર બે જ રીતે પ્રાપ્ત કર્યું છે. એક તો અલ્લાહે મોકલેલા ગ્રંથો દ્વારા અને બીજું અલ્લાહે પોતાની ઇચ્છા માનવજાત સુધી પહોંચાડવા માટે પસંદ કરેલા પયગમ્બરોની પરંપરા દ્વારા. આ બંને બાબતો માનવ-ઇતિહાસમાં સાથે સાથે ચાલતી રહી છે. એટલે અલ્લાહની મરજી જાણવા માટે બંનેમાંથી કોઈ એકની ઉપર ભાર મૂકી બીજી રીતને અવગણવાથી કાયમ નિષ્ફળતા મળી છે. હિંદુ પ્રજાએ પોતાના ઇશદૂતો તરફ દુર્લક્ષ સેવીને પોતાના ધર્મગ્રંથો ઉપર વધારે પડતો ભાર મૂક્યો છે. પરિણામે તેમની કિતાબો કે ધર્મગ્રંથો શાબ્દિક કોયડારૂપ બની ગયા છે. અને તેઓ તેમનો જ્ઞાન-ગુમાવી બેઠા છે. તેવી જ રીતે ખ્રિસ્તી લોકોએ પોતાના પયગમ્બર ઉપર જ બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામે તેમણે ઈસુ ખ્રિસ્તને દેવના સ્થાને બેસાડી તેમની પૂજા શરૂ કરી દીધી અને તૌહીદ કે એકેશ્વરવાદનો બાઈબલરૂપી ખજાનો તેઓ ગુમાવી બેઠા.
        હકીકતમાં કુર્આનની પહેલા બાઈબલ અને ગોસ્પેલ સ્વરૂપે થયેલી ઈશાવણી (Revelation) પયગમ્બરોની પરંપરાના અંત પછી, ઘણા વર્ષે, ગ્રંથસ્વરૂપે અનુવાદમાં ઉપલબ્ધ બની છે. તેનું કારણ એ હતું કે હઝરત મૂસા અ.સ. અને હઝરત ઈસા અ.સ.ના અનુયાયીઓએ તે પયગમ્બરોના જીવનકાળ દરમ્યાન તેમની ઈશવાણને ધર્મગ્રંથ સ્વરૂપે સાચવવાની ઝાઝી મહેનત કરી ન હતી. તે પયગમ્બરોના મૃત્યુ પછી ઘણાં વરસે હાલ જે બાઇબલ Old and New Testament સ્વરૂપે કરેલા અનુવાદો છે તેમાં અનુવાદકો તરફથી ઉમેરણો કે કાપકૂપ રૂપી સુધારા વધારા કરવામાં આવ્યા છે. પરંતુ પયગમ્બરોની પરંપરામાં સૌથી છેલ્લા આવેલા ધર્મગ્રંથ કુર્આનની ઈશવાણી આજે પણ તેની મૂળ રૂપમાં મૌજૂદ છે. સ્વયંઅલ્લાહે કયામતના દિવસ સુધી તેનું રક્ષણ કરવાની જવાબદારી પોતાના માથે લીધી છે. એટલે કુર્આન ધર્મગ્રંથ સ્વરૂપે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનકાળ દરમ્યાન જ છૂટક તાડપત્રીઓ, ચર્મપત્રો, હાડકા વગેરે ઉપર લખી લેવામાં આવ્યો હતો.
        વધુમાં પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સેંકડો સહાબીઓ એવા હતા જેમણે આખું કુર્આન મોઢે કરી લીધું હતું. પયગમ્બર સાહેબે પોતે પણ વરસમાં એકવાર આખા કુર્આનનો જિબ્રઈલનામના ફરિશ્તા આગળ પાઠ કરી જતા. અંતિમવર્ષમાં તો આપે બે વાર આવું કર્યું.પાછળથી પ્રથમ ખલીફા હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિ.) એ પયગમ્બર સાહેબના લહિયા હઝરત ઝૈદ બિન સાબિત (રદિ.)ને બધી આયતો એકઠી કરીને કુર્આનને ગ્રંથસ્થ કરવાનું કામ સોંપ્યું હતું. કુર્આનનો આ પ્રથમ ગ્રંથ હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ. પાસે હતો. અને તેમના અવસાન પછી તે પયગમ્બર સાહેબના પત્ની હઝરત હફસા રદિ. પાસે આવ્યો હતો. કુર્આનની આ પ્રથમ નકલ ઉપરથી ત્રીજા ખલીફા હઝરત ઉસ્માન રદિ. એ બીજી કેટલીક નકલો તૈયાર કરાવડાવી તેમને જુદા જુદા મુસ્લિમ પ્રદેશોમાં મોકલાવી દીધી હતી. કારણ કે તે સમગ્ર માનવજાત માટે કાયમી દોરવણી આપનાર ગ્રંથ હતો, એટલે જ તે માત્રઆરબોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરતો નથી. તે આરબોની ભાષામાં લખાયેલ ધર્મગ્રંથ જરૂર છે પણ તે માણસ સાથે માણસની જેમ વાત કરે છે.
        “હે માનવ ! તને કઈ વસ્તુએ ભ્રષ્ટ કરીને તારા માલિકથી જુદો પાડી દીધો છે ?” પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તેમજ ઇતિહાસ પ્રસિદ્ધ બધા નેક મુસલમમાનોના ર્દષ્ટાંત ઉપરથી આ ધર્મગ્રંથનું વહેવારૂપણું  પુરવાર થાય છે. કુર્આનનો વિશિષ્ટ ર્દષ્ટિકોણ સમગ્ર માનવજાતની સામાન્ય સુખાકારીને લક્ષમાં રાખે છે. અને માણસ માત્રમાં છુપાઈ રહેલી બધી ભાવિ શક્યતાઓ તેના પાયામાં રહેલી છે. કુર્આનમાં નિહિત સ્વરૂપે રહેલુ ડહાપણ તેના બધા પરિમાણોમાં નિર્ણાયક પુરવાર થતું આવ્યું છે. તે માનવીને તેના દેહનું દમન કરવાનું કહેતો નથી કે આત્મા તરફ દુર્લક્ષ પણ સેવતો નથી. તે ઇશ્વરને માનવીનું રૂપ આપતો નથી કે માનવીને દેવનું રૂપ પણ આપતો નથી. સર્જનહારની સૃષ્ટિની દરેકે  દરેક વસ્તુને તે કાળજીપૂર્વક તેના યોગ્ય સ્થાને મૂકી આપે છે.
        વાસ્તવમાં જગતના જે વિદ્વાનોએ પુરાવા વિના નિશ્ચાત્મક વિધાનો કરીને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબને કુર્આનના લેખક ગણાવવા પ્રયત્નો કર્યા છે તેઓ કંઈક એવો દાવો કરી રહ્યા છે જે માનવીય રીતે તદ્દન અશક્ય છે. ઈસુની છઠ્ઠી સદીમાં જન્મેલ કોઈ માનવી કુર્આનમાં વર્ણવેલ વૈજ્ઞાનિક સત્યો ઉચ્ચારી શકે ખરો? વીસમી સદીનું આજનું આપણું વિજ્ઞાન ભ્રૂણની ગર્ભાશયમાં થતી ઉત્ક્રાંતિનું જેવું યથાર્થ વર્ણન કરી શકે છે એવું જ  યથાર્થ વર્ણન ઈસુની છઠ્ઠી સદીનો કોઈ માણસ કરી શકે ખરો?
        બીજું એ છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેઓ ચાલીસ વર્ષના થયા ત્યાં સુધી માત્ર પોતાની પ્રામાણિક્તા અને ઈમાનદારી માટે જ પંકાયેલા હતા, તેમણે એકાએક લેખક બની જઈને એક એવો ગ્રંથ લખી નાંખ્યો જે તેની સાહિત્યિક ગુણવત્તામાંઅનુપમ હતો, એટલું જ નહિ પણ જે તે સમયના સર્વોત્ત્મ અરબી કવિઓ અને વ્યાખ્યાનકારો કદી ન લખી શકે એવો હતો, ત્યારે આપણી દલીલ શું તર્કબદ્ધ રહે છે ખરી? અને છેલ્લે, શું એમ કહેવું ન્યાયોચિત છે ખરૂં હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ જેઓ “અલ અમીન” (વિશ્વાસપાત્ર) તરીકે તેમના સમાજમાં જાણીતા થયેલા હતા, અને જેમની પ્રમાણિકતા અને ઈમાનદારીની પ્રશંસા બિનમુસ્લિમ વિદ્વાનો આજે પણ કરે છે, તેમણે એકા એક પોતે લેખક હોવાનો એક જુઠ્ઠો દાવો કર્યો અને તે જુઠ્ઠાણાને કારણે તેઓ હજારો માનવોને ચારિત્ર્યવાન, પ્રામાણિક અને ઈમાનદાર બનાવી શક્યા? એટલું જ નહિ પણ તે માણસોએ આપણી પૃથ્વીના એક સર્વોત્તમ સમાજની સ્થાપનાકરી ?
        આ ઉપરથી કોઈ પણ નિખાલસ અને પૂર્વગ્રહરહિત સત્યશોધક એવું માનવા પ્રેરાશે કે કુર્આન ખરેખર અલ્લાહે પ્રગટ કરેલો એક દિવ્ય ધર્મગ્રંથ છે.
        નીચે અમે કેટલાક મહત્ત્વના બિનમુસ્લિમ વિદ્વાનોના કુર્આન અંગેના અભિપ્રાયો આપી છીએ. તેનો અર્થએ નથી કે તેઓએ જે કંઈ કહ્યું છે તેની સાથે અમે અનિવાર્યપણે સહમત થઈએ છીએ. આના દ્વારા વાચકો સરળતાથી જોઈ શકશે કે આધુનિક જગત કઈ રીતે કુર્આનની વાસ્તવિક્તાની નજીક આવી રહ્યું છે. અમે વિશાળ હૃદયના બધાં વિદ્વાનોને ઉપર કહ્યાં તે મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કુર્આનનો અભ્યાસ કરવા આગ્રહભરી વિનંતી કરીએ છીએ. અમને ખાતરી છે કે જો તેઓ આવો પ્રયત્ન કરશે તો કુર્આનને કોઈ માણસ ક્યારેય લખી શકે નહિ તેની તેમને પ્રતીતિ થશે.
        “આપણે તેને ગમે તેટલીવાર વાંચીએ તો પણ (કુર્આન)....શરૂઆતાં અણગમો ઉપજાવનાર હોવા છતાં દરેક વખતે નવેસરથી તે તમને ફરીવાર આકર્ષક લાગવા માંડશે, આશ્ચર્યસકિત કરવા માંડશે અને અંતે તે આપણામાં એક ઊંડો પૂજ્યભાવ પેદા કર્યાં વિના નહી રહે. તેના વિષયવસ્તુ અને ધ્યેયના સંદર્ભમાં તે અદ્ભૂતઅને ઉદ્દાત છે. એટલે આ ગ્રંથ બધા યુગોમાં માનવ-હૃદય પર એક અત્યંત બળવાન અસર મૂકી જવાનું કામ કર્યા કરેશે.”
        -ગેઅ્ટે (અવતરણ ટી.પી. હ્યુજીસના Dictionary of Islam ના પાના નં.૫૨૬ ઉપરીથી)
        “દુનિયાના મહાન ધર્મગ્રંથોમાં કુર્આન અધિકૃત રીતે એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રકારના યુગપ્રવર્તક ગ્રંથોની શ્રેણીમાં સૌથી છેલ્લું અવતરણ હોવા છતાં તે મોટા માનવસમૂહો ઉપર પોતાની અદ્ભૂત અસર ઉપસાવવાની બાબતમાં બીજા કોઈ ધર્મગ્રંથ કરતાં ભાગ્યે જ ઊતરે એવું છે. માનવીય વિચારના એક તદ્દન નવા તબક્કાનું તેમજ એક નવા જ પ્રકારના ચારિત્ર્યનું તેણે સર્જન કર્યું છે. શરૂઆતમાં તેણે અરબસ્તાનના રણપ્રદેશમાં વસતી જુદા જુદા વંશની અનેક શૂરવૂર કોમો (Nation) ને જન્મ આપ્યો અને પાછળથી વિશાળ મુસ્લિમજગતની અનેક રાજકીય અને ધાર્મિક સંસ્થાઓરૂપી એક એવા મોટા આધુનિક પરિબળનું સર્જન કર્યું જેની સાથે યુરોપના અને પૂર્વના રાષ્ટ્રોએ હજી કામપાર પાડવાનું બાકી છે.”
        -જી. માર્ગોલ્ફથ(જે.એમ. રોડવેલના ન્યૂયોર્કની Every Man’s Library તરફથી પ્રકાશીત થયેલ The Koran ની પ્રસ્તાવનાના પાના નં. ૭ ઉપરથી)
        “(કુર્આન એટલે) એક એવો ગ્રંથ જે સમયની અને વધુમાં ખાસ તો માનસિક વિકાસની દૃષ્ટિએ દૂરના વાચકના હૃદયમાં પ્રબળ અને દેખીતી રીતે પરસ્પર વિરોધી લાગણીઓ જન્માવે છે, એવું પુસ્તક જે શરૂઆતમાં જન્મતી અણગમતી લાગણીને પરાજિત કરીને તેનું આશ્ચર્ય અને પ્રશંસાની લાગણીમાં રૂપાંતર કરી દે છે. એવો ગ્રંથ જે ખરેખર માણસના મનની એક અદ્ભૂત પેદાશ અને માનવજાતના ભાવિ ઉપર નજર રાખનાર કોઈ પણ વિચારશીલ નિરીક્ષક માટે એક ઊંચામાં ઊંચા પ્રકારની સમસ્યા ગણાવો જોઈએ.”
        -ડો. સ્ટેઇનગેસ (અવતરણ ટી.પી. હ્યુજીસના Dictionary of Islam ના પાના નં. ૫૨૬-૫૨૭ ઉપરથી)
        ઉપર રજૂ કરવામાં આવેલ નિરીક્ષણ જે વિવેચકો હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબને કુર્આનના લેખક ગણે છે તેમના ગૃહિત સ્વરૂપે સ્વીકારાયેલ પૂર્વ-સિદ્ધાંતને ખોટો ઠેરવે છે.
        “કોઈ નિરક્ષર માણસ સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ આખા અરબી સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ અને મહત્ત્વનોલેખક કઈ રીતે બની શકે ? વળી આવો નિરક્ષર માનવી ઇતિહાસના તે કાળના, બીજા કોઈ માણસ માટે વિકસાવવાનું શક્ય ન હોય તેવા, વૈજ્ઞાનિક સત્યોનું ઉચ્ચારણ શી રીતે કરી શકે ?અને આ બધું પોતાના અનેક વિષયો અંગેના ઉચ્ચારણોમાં એક પણ ભૂલ કર્યાવિનાકરવું આવા નિરક્ષર માણસ માટેશી રીતે શક્ય બની શકે? ”
        -મોરિસ બ્યૂકેઇલ (The Bible, The Kuran and Science 1978 P. 125 ઉપરથી)
        “એટલે આ ધર્મગ્રંથની બાબતમાં કદાચ તેની સાહિત્યિક ગુણવત્તાનું મૂલ્યાંકન કોઈ કાલ્પનિક અને આત્મલક્ષી સૌંદર્યશાસ્ત્રના સિદ્ધાંતોની મદદથી કરવાને બલતે તેણે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમકાલીન દેશવાસીઓ ઉપર જે અસર જન્માવી હતી, તેની દૃષ્ટિએ તેનું મુલ્યાંકન કરવું જોઈએ. તે ગ્રંથ ખૂબ શક્તિશાળી અને પ્રતીતિકર રીતે પયગમ્બરસાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શ્રોતાઓના હૃદયોને સ્પર્શીને પોતાની વાત કરી શકતો હતો.તેના પરિણામે તે સમય સુદી જે કેન્દ્રાપગામી અને દુશ્મનાવટભર્યા તત્ત્વોનું રૂપ આપી આરબોના મનમાં કદી ન આવી શકે એવા વિચારોથી તેમને પ્રેરિત કર્યા હતા. તે ગ્રંથની વક્તૃત્વશક્તિ સર્વાંગી સુંદર હતી. તેનું સાદું કારણ એ હતું કે તેણે ભટકતી  જાતિના જંગલી લોકોમાંથી એક સુધરેલ અને સુસંસ્કૃત સમાજ સર્જી બતાવ્યો હતો, અને આરબ દેશના ઇતિહાસરૂપી તાણામાં એક નવો વાણો ઉમેરી આપ્યો હતો.”
        -ડો. સ્ટેઇનગેસ. (અવતરણઃ ટી.પી. હ્યુજીસના Dictionary of Islam ના પાના નં. ૫૨૬-૫૨૮ ઉપરથી)
        “મારી પૂર્વના અનુવાદકોના પ્રયત્નોમાં સુધારો કરવા અને અરબી ભાષામાં કુર્આનની જે ભવ્ય અને ઉદ્દાત વક્તૃત્વશક્તિ છે તેની આછી ઝાંખી મારા વાચકોને કરાવવા માટે મેં કુર્આનના જીવનસંદેશને બાજુ ઉપર રાખી, જેને કારણે કુર્આન માનવજાતના સાહિત્યની એક સર્વોત્તમ અને ઉત્કૃષ્ટ કલાકૃતિ ગણાય છે તે તેના જટિલ અને વૈવધ્યપૂર્ણ લયનો પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. કુર્આનની મુખ્ય વિશેષતા તેના અનુપમ અને બિનઅનુકરણીય લયમાં છે. તેનું વર્ણન પિકથોલ તેના Holy Book નામના પુસ્તકમાં નીચેના શબ્દોમાં કર્યું છે. “જેના અવાજ માત્રને કારણે માનવોની આંખમાં હર્ષના આંસુ આપી જાય છે.” મારી પૂર્વેના અનુવાદકોએ તેના તરફ દુર્લક્ષ સેવ્યું છે. અવાજના લયની સરખામણીમાં નિરસ અને લુખ્ખો લાગે છે.”
        -આર્થર જે. આરબેરી (The Koran Interpreted, London, Oxford University Press – 1964. P.10)
        “કુર્આન ઇસ્લામની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. ધર્મ, નીતિશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિષયોમાં તેની સત્તાસર્વોપરી છે... કુર્આન બેનમૂન છે. ધર્મની બાબતોની જેમજ એકબીજા સાથે ઝઘડો કરતા પંથો કે સંપ્રદાયોના લોકો પણ કુર્આનની વાત આવે છે ત્યારે તેમાં કોઈ પ્રશ્ન કરતા નથી.”
        -સર વિલિયમમૂર. (અવતરણઃ The Life of Muhammed. London, 1903, Chapter The Coran. P.7 ઉપરથી)
        “જગતમાં કદાચ એવો બીજો કોઈ ધર્મગ્રંથ નથી જેના શબ્દોનો મૂળ પાઠ (Text) ૧૨ સદીઓ સુધી આટલો શુદ્ધ રહી શક્યો હોય.”  -સર વિલિયમમૂર.